2
હાન્નાનું વચનપાલન 
 1 પછી હાન્નાએ આ મુજબ દેવને પ્રાર્થના કરી: 
“યહોવા તમે માંરું હૃદય આનંદથી ભરી દીધું છે. 
હું માંરા દેવમાં બહું વિશ્વાસ કરું છું 
અને હવે માંરા શત્રુઓને હું જવાબ આપીશ. 
દેવે મને મદદ કરીને માંરી મુશ્કેલી દૂર કરી છે. 
એથી હું તમાંરા તારણમાં અતિ આનંદમાં છું. 
 2 યહોવા જેવાં પવિત્ર દેવ કોઈ નથી. 
તેમના સિવાય બીજા કોઈ દેવ નથી. 
આપણા દેવ જેવા કોઈ રક્ષણહાર નથી. 
 3 અભિમાંન અને બડાઇ હાંકનાર ન બનો. 
બડાશ માંરવાનું બંધ કરો 
કારણકે દેવ બધું જાણે છે. 
તે લોકોને દોરવે છે અને તેમનો ન્યાય કરે છે. 
 4 બળવાન યોદ્ધાઓના ધનુષ્ય તૂટે છે, 
પણ હવે નિર્બળ બળવાન બન્યા છે. 
 5 જે ધનવાન લોકો પાસે પુષ્કળ 
ખોરાક ભૂતકાળમાં હતો 
તેઓએ ખોરાક માંટે 
હવે કામ કરવું પડશે. 
જયારે ભૂખ્યાઓને હવે ભૂખ રહી નથી. 
વાંઝણી સ્ત્રીઓને સાત સાત સંતાનો છે 
અને જે સ્ત્રીને ઘણાં સંતાનો હતા 
તે દુ:ખી છે કેમકે તેમના સંતાનો જતા રહ્યાં છે. 
 6 યહોવા જ માંરે છે, 
અને તે જ જીવન આપે છે. 
યહોવા જ માંણસોને મૃત્યુલોકમાં લઈ જાય છે 
અને પાછા લાવે છે. 
 7 યહોવા જ રંક બનાવે છે, 
ને તવંગર પણ એજ બનાવે છે. 
યહોવા કોઇ લોકોને ઉતારી પાડે છે, 
અને બીજાને માંનવંતા બનવા દે છે. 
 8 યહોવા જ એકલા ગરીબ લોકોને ધૂળમાંથી ઉપાડે છે 
અને તેમની મુશ્કેલીઓ દુર કરે છે. 
યહોવા જ તેમને રાજાઓની સાથે બેસાડે છે 
અને ઇચ્છા પ્રમાંણે બહુમુલ્ય આસનો અને સન્માંન આપે છે. 
આ આખી ધરતી યહોવાની પોતાની છે, તેના પાયાઓ સુધી, 
યહોવાએ તેના પર જગત ઉભુ કર્યું છે.* યહોવાએ … કર્યું છે મૂળ પ્રમાણે: યહોવા ગરીબોને રાખમાંથી ઉપાડે છે. 
 9 યહોવા પોતાના ભકતોની સંભાળ રાખે છે, 
પણ દુષ્ટો ને અંધકારમાં રખાય છે 
અને તેઓ નાશ પામશે. 
તેમની શકિત તેમને વિજય 
મેળવવામાં મદદ નહિ કરે. 
 10 યહોવા તેમના શત્રુઓનો નાશ કરે છે. 
પરાત્પર દેવ લોકોની વિરુદ્ધ આકાશમાંથી ગર્જના કરશે. 
યહોવા દૂરનાં પ્રદેશોનો પણ ન્યાય કરશે. 
તે પોતાના રાજાને બળ આપશે 
અને તેના ખાસ રાજાને બળવાન બનાવશે.” 
 11 ત્યાર બાદ તેઓએ શમુએલને શીલોહમાં રાખ્યો અને એલ્કાનાહ અને તેનો પરિવાર પોતાને ઘેર પાછા ફર્યાં. બાળક શમુએલ યહોવાનો સેવક બન્યો અને તે એલી યાજકને દેવની સેવામાં મદદ કરતો હતો. 
એલીના પુત્રોની દુષ્ટતા 
 12 હવે એલીના પુત્રો દુષ્ટ હતા. તેઓને યહોવા પ્રતિ પ્રેમ ન હતો!  13 યાજકોએ લોકો સાથે કેવી રીતે વર્તવું તેની તેઓને ચિંતા ન હતી. યાજકોએ લોકો માંટે આ કરવું જોઇએ કે જ્યારે કોઇ વ્યકિત યજ્ઞાર્પણ લાવે, યાજકોએ માંસને ઉકળતા પાણીના વાસણમાં નાખવું. પછી યાજકનાં સેવકે ત્રણ અણીવાળો ખાસ કાંટો લાવવો.  14 યાજકના સેવકે તે કાટો વાસણમાંથી થોડું માંસ કાઢવા વાપરવો. સેવકે વાસણમાંથી કાટાં વડે જેટલું માંસ કાઢયું તેટલુંજ યાજકને મળે. શીલોહ પર અર્પણો કરવા આવેલા ઇસ્રાએલીઓ માંટે યાજકોએ આવી રીતે કરવાનું હતું.  15 પરંતુ એલીના પુત્રોએ તેમ ન કર્યુ. ઘણી વખત વેદી પર ચરબી બળી જાય તે પહેલાંજ, યાજકનો સેવક અર્પણ કરનારાઓ પાસે આવતો અને કહેતો, “શેકવા માંટે યાજકને માંસ આપો. તે તમાંરી પાસેથી રાંધેલું માંસ નહિ સ્વીકારે; તે ફકત કાચું માંસ જ સ્વીકારશે.” 
 16 જો બલિદાન અર્પણ કરનાર એમ કહે: “તારે જેટલું જોઈએ તેટલું લઈ જા, પણ ચરબીનું દહન થઈ જવા દે.” તો તે કહેતો, “ના, તે નહિ ચાલે, મને અત્યારે જ આપ; તું જો મને નહિ આપે તો હું બળજબરીથી લઈ જઈશ.” 
 17 એલીના પુત્રોનું આ પાપ યહોવાની દૃષ્ટિમાં અત્યંત ગંભીર હતું, કારણ કે તેઓ યહોવાના અર્પણનો અનાદર કરતા હતા. 
 18 શમુએલ યહોવાનો સેવક હતો. તે યહોવાની સેવા કરતો અને એક શણનું કેડિયું પહેરતો.  19 તેની માંતા પ્રતિવર્ષ તેને માંટે એક નાનો ઝભ્ભો સીવતી અને તેના પતિની સાથે યજ્ઞ કરવા આવતી ત્યારે સાથે લઈને આવતી. 
 20 તે વખતે યાજક એલી એલ્કાનાહને અને તેની વહુને આશીર્વાદ આપતો અને કહેતો, “તમે તમાંરા પુત્રને યહોવાને સમપિર્ત કર્યો છે. તેના બદલામાં તે તને આ સ્ત્રીથી વધારે બાળકો આપો.” 
ત્યારબાદ તેઓ પાછાં ઘેર જતાં.  21 ત્યારબાદ યહોવાએ હાન્ના ઉપર કૃપા કરી અને તેણે ત્રણ પુત્રો અને બે પુ્ત્રીઓને જન્મ આપ્યો. એ દરમ્યાન બાળક શમુએલ પણ યહોવાના પવિત્ર સાન્નિધ્યમાં મોટો થતો ગયો. 
એલી પોતાના દુષ્ટ પુત્રોની સંભાળ લેવામાં અસફળ 
 22 હવે એલી ઘણો વૃદ્વ થયો હતો. પોતાના પુત્રો ઇસ્રાએલીઓ સાથે કેવી રીતે વર્તતા તે, અને યહોવાના મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ ભેગી થતી સ્ત્રીઓ સાથે સૂતા પણ હતા એ બધુ તે સાંભળતો હતો. 
 23 તેથી તેણે તેઓને કહ્યું, “તમે આવું દુષ્કૃત્ય શા માંટે કરો છો? તમે જે ખરાબ રીતે વતોર્ છો, બધા લોકો મને એમ કહે છે.  24 દીકરાઓ, આ બધું બંધ કરો. યહોવાના લોકો જે વાત કરે છે તે અતિ દુ:ખદ છે.  25 જો કોઈ માંણસ બીજા માંણસ સામે પાપ કરે તો દેવ તેને મદદ કરે. પરંતુ કોઈ માંણસ યહોવાની વિરુદ્ધ પાપ કરે તો કોણ વચ્ચે પડે અને તેને બચાવે? આ રીતે એલીએ તેમને ઠપકો આપ્યો.” 
પણ તેના દીકરાઓએ તેનું સાંભળ્યું નહિ. તેથી યહોવાએ બંનેને માંરી નાખવાનો નિર્ણય કર્યો. 
 26 દરમ્યાન બાળક શમુએલ મોટો થતો ગયો, અને યહોવાની અને લોકોની પ્રીતિ પામતો ગયો. 
એલીના પરિવાર વિષે ભયંકર ભવિષ્યવાણી 
 27 દેવના એક માંણસે એલીની પાસે આવીને કહ્યું, “આ યહોવાનાં વચન છે; ‘જયારે તારા પિતૃઓ ફારુનનાં ગુલામ હતાં, ત્યારે મેં તેને દર્શન આપ્યા હતાં.  28 ઇસ્રાએલના બધા કુળોમાંથી મેઁ તમાંરા કુળને માંરા યાજકો તરીકે, અર્પણો અર્પણ કરવા માંટે, અને વેદી ઉપર ધૂપ બાળવા માંટે અને યાજકને પહેરવાનો ખાસ ઝભ્ભો પહેરવા માંટે પસંદ કર્યું. ઇસ્રાએલીઓ મને જે અર્પણો અર્પણ કરે છે તેમાંથી મેઁ તારા કુળસમૂહને માંસ લેવા દીધું.  29 તું એ અર્પણોને અને ભેટોને કેમ માંન નથી આપતો? તું માંરા કરતાં તારા પુત્રોને શા માંટે વધુ માંન-સન્માંન આપે છે? માંરા લોકોએ અર્પણ કરેલાં બલિદાનોમાંથી તમને ઉત્તમ ભાગ મળે છે અને તે ખાઇને પુષ્ટ બન્યા છો.’ 
 30 “ઇસ્રાએલના દેવે ભૂતકાળમાં એવું વચન આપ્યું હતું કે, તારુ કુટુંબ કાયમ માંટે માંરી સેવામાં રહેશે, પરંતુ તેવું કદી નહિ બને! લોકો મને માંન આપશે તો હું તેમને માંન આપીશ, પરંતુ લોકો જો માંરી અવજ્ઞા કરશે, તો હું એમની અવજ્ઞા કરીશ.  31 જો, હવે એવો દિવસ આવી રહ્યો છે, જયારે હું તારા કુટુંબના અને કૂળના બધા વંશજોને માંરી નાખીશ, જેથી તારા કુટુંબમાં કોઇ ઘડપણ જોવા પામશે નહિ.  32 ઇસ્રાએલ સાથે સારી ઘટનાઓ ઘટશે પણ તમે તમાંરા ઘરમાં ખોટી ઘટનાઓ જોશો, પણ તારા કુટુંબમાં હવે પછી કોઈ કદાપિ ઘડપણ જોવા નહિ પામે,  33 પણ હું તારા વંશજોમાંથી એકને જીવતો રહેવા દઈશ અને તે યાજક અને સેવક તરીકે માંરી સેવા કરશે, એની આંખો નબળી થશે ત્યાં સુધી તે જીવશે. તે ઘરડો, અને બહુ નબળો થઇ જશે. પરંતુ તારા કુટુંબના બધા લોકો કમોતે મૃત્યુ પામશે.  34 તારા બે પુત્રો હોફની અને ફીનહાસ બંને એક જ દિવસે મૃત્યુ પામશે, અને એમના હાલ જોઈને તને ખાત્રી થશે કે માંરું કહ્યું સાચું પડવાનું છે.  35 હું માંરા માંટે એક વિશ્વાસુ યાજક પસંદ કરીશ. તે માંરી આજ્ઞાનું પાલન કરશે. હું તેને માંટે સ્થિર ઘર બાંધીશ. જે કાયમ માંરા અભિષિકત રાજાની સમક્ષ સેવા કરશે.  36 તારા કુટુંબમાં જે કોઈ બચવા પામશે તે આવીને યાજક સામે નમશે. તેઓ થોડા પૈસા અને રોટલા માંટે ભીખ માંગશે, એમ કહીને: ‘મને યાજક તરીકે નોકરી આપો જેથી મને ખાવાનું મળે.’ ”